ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંત્યપુનરુક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંત્યપુનરુક્તિ (Epiphora Epistrophe) : એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓના અંતમાં આવતું પુનરાવર્તન તે અંત્યપુનરુક્તિ છે. જેમકે રાવજી પટેલના ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ કાવ્યની પંક્તિઓ : ‘કાનમાં વહાલા ફૂંક મારીશું/તમારા નામની ફૂંક મારીશું.’ ચં.ટો.