ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપૌરુષેય સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અપૌરુષેય સાહિત્ય : વિશ્વનાથ ભટ્ટ દરેક દેશના પ્રારંભકાળના સાહિત્યને મોટે ભાગે અપૌરુષેય સાહિત્ય તરીકે ઓળખાવે છે. આ સમયમાં કૃતિઓ કોઈ એક વ્યક્તિની નહીં પણ કુટુંબ, ગોત્ર, મંડળ, સંપ્રદાય કે લોકસમૂહની રચના હોય છે; એ રીતે એમણે ‘ઋગ્વેદસંહિતા’ને અપૌરુષેય ગણી છે. એ જ રીતે લોકગીતો કે લોકકાવ્યો પણ એક જ માનવીના હાથે નહિ પણ આખા લોકસમુદાયને હાથે લખાયેલાં હોય છે. આ કૃતિઓમાં સામુદાયિક તત્ત્વ મહત્ત્વનું છે. ચં.ટો.