ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થઘટનપરક ચક્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્થઘટનપરક ચક્ર (Hermeneutical circle) : રંગદર્શી અર્થઘટનશાસ્ત્રના પ્રણેતા ફીડરિક સ્લાયરમાખરે(૧૭૬૮-૧૮૩૪) દર્શાવ્યું છે કે કોઈપણ વાચકનું પ્રમુખ કાર્ય ‘સમભાવ’ને સિદ્ધ કરવાનું છે. એટલેકે સર્જક અર્થપરત્વેની જે મનોઘટનામાંથી પસાર થયો હોય તેનો વાચકે બરાબર પુનરર્નુભવ કરવાનો છે. સ્લાયરમાખરની આ પ્રક્રિયાને ડિલ્ટીએ ‘અર્થઘટનપરક ચક્ર’ તરીકે ઓળખાવી છે. આમ અંત :ક્ષેપના કાર્યથી અને ઐતિહાસિક પુનર્રચનાથી કૃતિ અને ભાવકને જુદા રાખતા ઐતિહાસિક અવકાશને અતિક્રમી શકાય છે. ચં.ટો.