ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવતરણક્ષમતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અવતરણક્ષમતા (Quotability) : સાહિત્યિક કૃતિઓમાંથી મળતાં સાર્વત્રિક વિનિયોગની શક્યતાઓવાળાં વિધાનો અવતરણો તરીકે ઓળખાય છે. આ પ્રકારનાં વિધાનો વિપુલ પ્રમાણમાં આપતા સર્જકની કૃતિઓના સંદર્ભમાં આ સંજ્ઞા પ્રયોજાય છે. જીવનના વ્યાપક સંદર્ભોને સ્પર્શતાં વિષયવસ્તુવાળી કૃતિઓમાં આ લક્ષણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેમકે રવીન્દ્રનાથ, શરદબાબુ, ર. વ. દેસાઈ વગેરેની કૃતિઓમાં આવતાં અવતરણો. પ.ના.