ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યપુનરુક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આદ્યપુનરુક્તિ (Anaphora) : એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓમાં આરંભમાં આવતું પુનરાવર્તન તે આદ્યપુનરુક્તિ છે. જેમકે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ – ‘કદાચ હું ક્વચિત્ના વસનારને મળું /કદાચ હું હૃદય શીર્ણવિશીર્ણતા તણા /અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં અવાજમુક્ત સ્થળના વસનારને મળું...’ ચં.ટો.