ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્દ્રિયવ્યત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇન્દ્રિયવ્યત્યય (Synaesthesia) : એક કરતાં વધુ ઇન્દ્રિયોનાં એકસાથે પહોંચતાં સંવેદનો. એક ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતા કલ્પનનો અન્ય ઇન્દ્રિય દ્વારા થતો પ્રત્યક્ષ. જેમકે રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’ કાવ્યની પંક્તિ ‘રે હણહણતી મેં સાંભળી સુવાસ’ ચં.ટો.