ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તત્ત્વમીમાંસાપરક વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તત્ત્વમીમાંસાપરક વિવેચન (Metaphysical Criticism) : વિરચનવાદીઓએ વિવેચનને બે વર્ગમાં વહેંચ્યું છે : તત્ત્વમીમાંસાપરક અને વિરચનપરક તત્ત્વમીમાંસાપરક વિવેચન માને છે કે કૃતિને કોઈ નિશ્ચિત અર્થ હોય છે અને વિવેચને એના પર કેન્દ્રિત થવાનું હોય છે. ઉપસ્થિતિની પરંપરાનો આ માર્ગ છે. જ્યારે, વિરચનપરક વિવેચન કૃતિના અર્થની અનિર્ણીતતાની માન્યતા ધરાવે છે. અનુપસ્થિતિની પરંપરાનો અને વ્યતિરેક વ્યાક્ષેપનો આ માર્ગ છે. ચં.ટો.