ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વાસ્તવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવ્ય વાસ્તવવાદ (Nouveau realisme) : ઈવેલ ક્લાઈન, ઝાં તિન્ગલી, દેનિયલ સ્પૉરી અને મેનિયલ રોય્ઝે જેવાની કલાકૃતિઓને આધારે ફ્રેન્ચ કલાવિવેચક પિયર રેસ્તનાએ આ સંજ્ઞા આપી છે. સામાન્ય વસ્તુઓનો વિનિયોગ કરી સંયોજન ઉપસાવતા કલાસ્વરૂપને આ સંજ્ઞા નિર્દેશે છે. ચં.ટો.