ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાલાવબોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



બાલાવબોધ : બાળસહજ મતિ-ગતિ ધરાવનાર સાધારણ વાચકને દુરારાધ્ય સાહિત્યિક કૃતિની આસ્વાદમૂલક સરળ સમજૂતી દ્વારા અવબોધ કરાવનાર ટિપ્પણગ્રન્થ. આ પ્રકારની આસ્વાદ-ચર્ચાનાં મુદ્દા-નોંધો મૂળગ્રન્થના પઠન-પાઠન દરમ્યાન તેના હાંસિયાની જગ્યામાં લખાતાં તેથી તળપદ વ્યવહારમાં બાલાવબોધ ટબો તરીકે પણ રૂઢ થયો છે. બાલાવબોધમાં અધ્યાય અનુસાર સમજૂતી આપવાના વલણને કારણે તેને સ્તબક નામ પણ મળ્યું છે. ર.ર.દ.