ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનવતાવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



માનવતાવાદ (Humanism) : માનવહિતને વરેલી વિચારધારા માનવતાવાદ એ એક પ્રકારનું માનસિક વલણ છે જે કુદરતનાં માનવેતર પાસાંઓ, ધર્મસિદ્ધાન્તો વગેરે પર ભાર ન મૂકતાં મનુષ્યની આસપાસ વણાયેલી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકે છે. યુરોપમાં રેનેસૉંસ ચળવળ વખતે આ વિચારધારાનો ઉદ્ભવ થયો ત્યારે તે વખતના માનવતાવાદીઓ પ્રશિષ્ટ સાહિત્યની પ્રબળ અસર તળે હતા. સામાજિક વાસ્તવને નિરૂપતા સાહિત્યની વિવેચનામાં આ સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે. હ.ત્રિ.