ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મીલિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મીલિત : કોઈક પદાર્થ નિજી કે આગંતુક સમાનધર્મોને કારણે અન્ય વસ્તુને છુપાવી દે ત્યારે મીલિત અલંકાર બને. અહીં પ્રબળવસ્તુમાં ગૌણવસ્તુનું તિરોધાન થાય છે. જેમકે “યુવાનીની અસરથી આ સુંદરીનાં નયનો ચંચળ, વાણી મધુર અને વક્રોક્તિપૂર્ણ, ગતિ મંથર અને મુખ મનોહર છે. તેણે મદિરાપાન કર્યું છે, પણ યૌવનની અસર સબળ હોવાથી મદિરાની અસરની જાણ થતી નથી.” જ.દ.