ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રીતીસુખાન્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રીતિસુખાન્તિકા(Comedy of Manners) : આ પ્રકારનાં નાટકો કોઈ એક ચોક્કસ સમાજ-વ્યવસ્થાનાં પાત્રોની વર્તણૂક અને તેમના આચાર-વિચારની લાક્ષણિકતાઓને કેન્દ્રમાં લઈને લખાય છે. સામાન્ય રીતે અહીં મધ્યમ અને ઉપલા વર્ગના સમાજનું ટીકાત્મક ચિત્રણ સૂક્ષ્મ વિનોદના આવિષ્કાર દ્વારા કરવામાં આવે છે. ઇંગ્લૅંડમાં ઓગણીસમી સદીની ‘રેસ્ટોરેશન કૉમેડી’નાં ઘણાં નાટકો આ પ્રકારનાં નાટકો હતાં. કોન્ગ્રીવ, ઓસ્કર વાઇલ્ડ વગેરેએ આ પ્રકારનાં નાટકો આપ્યાં. પ.ના.