ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાર્તિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search



વાર્તિક : સંસ્કૃતમાં જે કહેવું હોય, કહેવાનું રહી ગયું હોય અથવા દુર્બોધતાથી કહ્યું હોય તે સર્વને સ્પષ્ટ કરનાર ગ્રન્થને વાર્તિક કહેવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યારે સર્જનક્ષેત્રે પ્રવર્તે ત્યારે એ ક્ષતિ બને છે. ક્યારેક સર્જક કૃતિના વસ્તુની રજૂઆત કરવા ઉપરાંત કૃતિમાંનાં પાત્ર, ઘટના વિશે સમજૂતી આપવાનું વલણ દર્શાવે છે ત્યારે એ વાર્તિકકાર (commentator) બની જાય છે. વાર્તા, નાટક જેવાં સ્વરૂપોમાં આ વલણ રસક્ષતિ જન્માવે છે. હ.ત્રિ.