ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/ષોડશગ્રન્થો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ષોડશગ્રન્થો : પુષ્ટિમાર્ગ પ્રવર્તક વલ્લભાચાર્ય દ્વારા આ સોળ ગ્રન્થોની રચના કરવામાં આવી છે. આ ગ્રન્થોને ભક્તિપ્રધાન લઘુરચનાઓ કહી શકાય. તે સરળ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. એક રીતે તો તેને પુષ્ટિમાર્ગના સિદ્ધાન્તોની લોકોપયોગી આવૃત્તિ જ કહી શકાય. અહીં એક પ્રકારની તર્કબદ્ધ વિચાર-સરણી રહેલી છે. આ ષોડશગ્રન્થોમાં યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાન્તમુક્તાવલી, પુષ્ટિપ્રવાહમર્યાદા, સિદ્ધાન્તરહસ્ય, નવરત્ન, અન્ત-કરણપ્રબોધ, વિવેકધૈર્યાશ્રય, પંચપદ્ય, સંન્યાસનિર્ણય, કૃષ્ણાશ્રય, ચતુ :ધોકો, ભક્તિવર્ધિની, જલભેદ, સેવાફલ અને નિરોધલક્ષણનો સમાવેશ થાય છે. સી.બી.રા.