ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતજીવન-સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંતજીવન-સાહિત્ય(Hagiography, Hagiology) : જીવનકથાના સાહિત્યપ્રકારની આ શાખા છે; એમાં સંતોના જીવનનો વિશિષ્ટ અભ્યાસ તેમજ તેમના જીવનમાહાત્મ્યનું આદરપૂર્વક આલેખન કરેલું હોય છે. પશ્ચિમમાં મધ્યકાળ અને પુનરુત્થાનકાળ દરમ્યાન આ શાખાનો બહોળો ફેલાવો હતો. જીવનકથાનાયકને આદરપૂર્વક સંતોની જેમ ચીતરતી આધુનિક જીવનકથા માટે આ સંજ્ઞાનો અર્થવિસ્તાર કરવામાં આવ્યો છે. ચં.ટો.