ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંદેહ : સંદેહમાં ઉપમેય ઉપમાન છે એવો સંદેહ વ્યક્ત કરવામાં આવે છે. સંદેહ પ્રગટ કર્યા પછી ઉપમેય અને ઉપમાન વચ્ચેનો ભેદ વ્યક્ત કરવામાં આવે તો સંદેહનો પહેલો પ્રકાર અને આ ભેદ જો વ્યક્ત કરવામાં ન આવે તો બીજો પ્રકાર થાય. જેમકે ‘શું આ ચંદ્ર છે? તો તેનું કલંક ક્યાં ગયું?’ અહીં મુખ શું ચંદ્ર છે એવી શંકા કર્યા પછી બન્ને વચ્ચેનો ભેદ (ચંદ્રમાં કલંક હોય અને મુખમાં ન હોય) વ્યક્ત કરવામાં આવ્યો છે, માટે સંદેહનો આ પહેલો પ્રકાર છે. જ.દ.