ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંનિષ્ઠા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંનિષ્ઠા(Sincerity) : સાહિત્યકૃતિના મૂલ્યાંકનના એક માપદંડ તરીકે મહત્ત્વના લેખાતા આ લક્ષણને જુદા જુદા સમયમાં વધતું-ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાહિત્યની રંગદર્શી વિભાવનાઓમાં આ લક્ષણ સર્જકની સાહજિક, ઉદાત્ત સર્જકતાના પર્યાય તરીકે જોવામાં આવે છે. ઇંગ્લૅંડમાં વિક્ટોરિયનયુગના સર્જકો-વિચારકોએ આ સંજ્ઞામાં નૈતિકતા (Morality)નું આરોપણ કર્યું. ઉત્તમ કવિતાની પોતાની વિભાવનામાં મેથ્યુ આર્નલ્ડ આ સંજ્ઞાનો ‘સંપૂર્ણ સચ્ચાઈ’ના અર્થમાં ઉલ્લેખ કરે છે. ચં.ટો.