ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર(Participatory poetics) : સાહિત્ય એના પ્રાથમિક તબક્કામાં મૌખિક પ્રયોગ સાથે સંકળાયેલું હતું. એનો અર્થ એ કે સાહિત્યનો પ્રાગિતિહાસ મૌખિક શબ્દકરણમાં પડેલો છે. આવી મૌખિક સંસ્કૃતિમાં રોપાયેલું કાવ્યશાસ્ત્ર સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર હતું. એમાં વક્તા, શ્રોતા અને વિષયનું એક પ્રકારનું સાતત્ય હતું. આજે પણ આ કાવ્યશાસ્ત્રને લક્ષમાં રાખી સાહિત્યની સમજનો પ્રારંભ કરી શકાય. આ સમજના કેન્દ્રમાં પ્રશ્ન છે : ‘કોણ કોને શું કહે છે?’ ચં.ટો.