ચૂંદડી ભાગ 2/44.માનવીનાં પરણેતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


44.

ઘોડલે ચડીને ગોવિંદજી રે આવ્યા
આવ્યા છે દ્વારકાના વાસી કરસનજી.          — પાલખડી વરરાજા!

સુભદ્રાબાઈ પૂછે ઓરેરા પધારો
માનવી ને લોક એમ પરણે કરસનજી.          — પાલખડી વરરાજા!

સુખડનો માંડવો ને આંબાનાં તોરણ
માનવી ને લોક એમ પરણે કરસનજી.          — પાલખડી વરરાજા!

ત્રાંબાની થાળીને કંકુડે અંજવાળી
દાદોજી દિયે કન્યાદાન કરસનજી.          — પાલખડી વરરાજા!