ડૉ. પ્રબોધ પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પંડિત પ્રબોધ બેચરદાસ (૨૩-૬-૧૯૨૩, ૨૮-૧૧-૧૯૭૫) : ભાષાવિજ્ઞાની. જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. ૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બી.એ. ૧૯૪૬માં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી સંસ્કૃત મુખ્ય અને ભાષાવિજ્ઞાન ગૌણ વિષયમાં એમ.એ. ૧૯૪૯માં લંડનમાં સ્કૂલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ત્યાં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. ૧૯૫૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૫૫થી ૧૯૫૬ સુધી અમે રિકાની યેલ યુનિવર્સિટીમાં સિનિયર ફેલો. ૧૯૫૬થી ૧૯૬૪ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૪-૬૫માં પૂનાની ડેક્કન કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. આ દરમિયાન ૧૯૬૭માં ગ્રીષ્મવર્ગ માટે મીશીગન, ૧૯૬૮માં પરિસંવાદ માટે નાઈરોબી અને ૧૯૬૯માં કોલ. યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમ જ બર્કલી યુનિવર્સિટીમાં પૂર્ણ સમયના અધ્યાપક. ૧૯૬૭નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ૧૯૭૩ નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાની ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકયો છે અને મૂલગામી દૃષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં ભાષાવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પરિવર્તનો થતાં રહ્યાં અને છેલ્લા દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીને સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિથી લખાયેલા એમના લેખને ઘણો બધો ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છ ગ્રંથો મૂલ્યવાન છે. ‘પ્રાકૃત ભાષા' (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનોનો સંચય છે. ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના ‘મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મલિક પ્રદાન છે. ભાષાના સંકેતોથીમાંડી છેક બોલીનું સ્વરૂપ અને બેલીઓના ક્રમિક વિભાજન સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે આ પુસ્તક કીમતી છે. ‘ભાષાવિજ્ઞાનની અર્વાચીન અભિગમ' (૧૯૭૩)માં નવા વિચારો અને નવા પ્રવાહો આવતાં ભાષાસંશોધનનો જે દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તાતંત્રની વાગ્વિષયક ક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્નો અહીં પ્રસ્તુત કર્યા છે. ‘પડાવશ્યબાલાવબોધવૃત્તિ' (૧૯૭૬) એમનો શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર' (૧૯૭૮)માં ચોસ્કી તેમ જ ફિલમોરનાં મોડેલને અનુલક્ષીને એમણે સંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. ‘પંચરંગી સમાજમાં ભાષા' (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્વેજ ઇન એ હરલ સોસાયટી'નો ગુજરાતી અનુવાદ છે.