ધીરુબેન પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૯-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા શિક્ષણ સાન્તા કુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશન સંરથી ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન. ૧૯૬૩-૧૯૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા' સાપ્તાહિકના તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘અધૂરો કોલ' (૧૯૫૫), ‘એક લહર' (૧૯૫૭) અને ‘વિશંભ કથા' (૧૯૬૬) એમના વાર્તાસંગ્રહે છે. રોચક વગુંફન, પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખને તેથી માનવમનનાં ઊંડાણને તાગવાની મથામણ – એ એમની વાર્તા ઓની વિશેષતા છે; તે લાંબી ભૂમિકા અને કવચિત્ બિનજરૂરી કે અસંબદ્ધ પ્રસંગેની પસંદગીથી આવતું પાંખાપણું એ મર્યાદા છે. છતાં હરીફ, બે દોસ્ત’, ‘ધીમું ઝેર’, ‘મયંકની મા’ જેવી વાર્તાઓ સફળ છે. ‘વડવાનલ' (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ' (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯) અને ‘વમળ' (૧૯૭૯) એ નવલકથા પૈકી ‘વાવંટોળ’ સુદીર્ઘ, મહત્ત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે; તો ધીમી ગતિની ‘શીમળાનાં ફૂલ'માં એમણે નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં આના હૈયાના નારીત્વને લાગણીના નમણા શિલ્પરૂપે ઉપસાવ્યું છે. વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને લાગે છે. એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર' (૧૯૬૮)માં સર્જન શક્તિનો ઉન્મેષ દેખાય છે. દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકુરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું પ્રાકૃતિક સાદૃશ્ય-કલ્પનોને સહારે અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુકત નિરૂપણ એમાં થયું છે; ‘એક ભલે માણસ’ (૧૯૭૯)માં સીધી લીટીના ગભરુ મહેતાજી ઓચ્છવલાલના દાણચોર ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેક પૂર્ણ અને અપ્રતીતિકર આલેખન છે; તો ‘આંધળી ગલી' (૧૯૮૩) -માં નાયિકા કંદનના જીવનની સ્થગિતતાની પડખે પરેશ-શુભાંગીનું જીવંત-તરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદાસીના પહાડને તોડે છે પણ ક્ષણ માટે જ—એવા સુયોજિત કથાનકને સહારે ઘેરી કરુણતા પ્રગટે છે. હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે. એમની ‘પરદુ:ખભંજન પેસ્તનજી' (૧૯૭૮) કૃતિ ડૉન કિહોટેનું સ્મરણ કરાવતી, પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમોની કથા છે; તો ‘ગગનનાં લગન' (૧૯૮૪) સામાન્ય લાગતાં પાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચ માંથી બતાવતું નરવું હાસ્ય પીરસે છે. એમનાં ‘પહેલું ઇનામ' (૧૯૫૫), ‘પંખીનો માળા’ (અન્ય સાથે, ૧૯૫૬) અને ‘વિનાશને પંથ (૧૯૬૧) જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનનો માનેલો' (૧૯૫૯); એકાંકીસંગ્રહ ‘નમણી નાગર વેલ' (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડેરી ગંડેરી. ટીપરીટેન' (૧૯૬૬) એમની સર્જક-નાટ્યશક્તિનો પરિચય કરાવે છે. એમની બાળવાર્તા ‘બતકનું બારણું' (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રાનાં જોડકણાં’ (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે. એમણે માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી સુખ્યાત કિશોર કથાઓના આસ્વાદ્ય અનુવાદ ‘ટોમ યર ભા. ૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬) અને ‘હકલબ ટી ફિનનાં પરાક્રમો' (૧૯૬૭)નામે આપ્યા છે.