ધીરેન્દ્ર મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા(૨૯-૮-૧૯૪૪) : નવલકથાકાર, વાર્તા કાર, કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. ભુજની ઑફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૮માં ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. ૧૯૭૬માં ‘ગુજરાતી નવલકથાને ઉપેયલક્ષી અભ્યાસ' વિષય પર પીએચ.ડી. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછીથી આર. આર. લાલન કૉલેજ, ભુજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન. આઠમા દાયકાના આ મનોવિશ્લેષણવાદી નવલકથાકારે આધુનિક મનુષ્યનાં મનઃસંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. ‘વલય' (૧૯૭૧)માં નવપલ્લવિત પ્રણયનું તાઝગીભર્યું આલેખન છે; તે ‘ચિન' (૧૯૭૮) અને ‘દિશાંતર' (૧૯૮૩)માં વિકલાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મને લોકનું સંકુલ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવલકથા અદૃશ્ય' (૧૯૮૦)માં જીવનનું અપ્રગટ, રહી જતું કારુણ્ય લાઘવપૂર્વક તાદૃશ્ય થયું છે અને આપણે લોકો’ (૧૯૮૭) માનવજીવનની વિભીષિકાને તાકે તાગે છે. ‘કાવેરી અને દર્પણલોક' (૧૯૮૮)માં બે લઘુનવલે સમાવિષ્ટ છે. ‘સંમુખ' (૧૯૮૫) એમનો પ્રયોગધર્મી છવ્વીસ ટૂંકીવાર્તાઓને સંગ્રહ છે. આ ઉપરાંત લઘુપ્રબંધ ‘ડૉ. જયંત ખત્રી' (૧૯૭૭), મહાનિબંધ ‘નંદશંકરથી ઉમાશંકર' (૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ‘ભૂસકાની ઉજાણી' (૧૯૮૬) વગેરે પણ એમણે આપ્યા છે. ‘રણની આંખમાં દરિયો' (૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે.