પુનરપિ/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search


5

જનમદિવસથી મોક્ષ સુધીમાં
જાણી એક નથી નારી
(પગનું દર્શન લક્ષ્મણ જેવું, દૃગનું
વૈદદ્ય સમું કીધું,
વચ્ચે ના દીધું-લીધું
પાયું-પીધું),
નિર્મળતા એ અવિકારી.
બ્રહ્મચર્ય અણમાપ્યું એનું
(પાન અણીશુદ્ધ નાગરવેલનું જી રે!)
પલકઝલકમાં અમાપ્ય થાશે
જ્યારે યોગી મોક્ષાશે.
પુરુષ-પ્રકૃતિ એકમ થાતાં,
અદ્વૈતમાં નર-નારાયણ પથરાતા
પ્રેમપારખું કરશે કોણ?
કોણ? — પડઘો પોતાનો.