પ્રાગજીભાઈ રા. કાતરિયા

કાતરિયા પ્રાગજીભાઈ રા. : બાળસાહિત્યકાર. એમનાં પુસ્તકો ‘આશરાનો ધરમ’ તથા ‘ધાનના ઢગલા’ સમાજશિક્ષણ-સાહિત્યની પ્રચારપુસ્તિકા રૂપે પ્રગટ થયેલાં છે. ‘મંગળભાવના’ (૧૯૬૧), ‘દાણાના માલિક’ (૧૯૬૧), ‘છાશનો સંઘરો’ (૧૯૬૧), ‘પરણાવવા માટે’ (૧૯૬૧), ‘ભૂવાને છોડીને’ (૧૯૬૧) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.