zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/અભિલાષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અભિલાષ

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

તારો હું મા, બેટો જ્યારે
બનીશ મર્દો મોટો,
ઘરધંધો કરતાં તુજને તવ
થાક ન ચડશે ખોટો.

મારા ચાકરનોકર એ સહુ
ઘરનો ધંધો કરશે;
તું તારે હીંચોળે ઝૂલી-
આ કર, તે કર-કરજે.

દેવસેવની ફૂલછાબમાં
સૂકાં પર્ણો જોઈ;
તે વેળા નહિ માડી, તારે
રહેવું પડશે રોઈ.

ઘરવાડીનાં ગુલાબ મોટાં,
પારિજાત ચંપેલી,
જાતજાતનાં, રંગરંગનાં
ચડાવજે મન મેલી.

દેવદ્વારથી પાછાં ફરતાં
માગણ હાથ પસારે,
અચકાતાં ખચકાતાં ત્યારે
પાઈ ન દેવી તારે.

માગણ સહુ વીંટાવા દેજે,
લૂટવા ભરેલ થેલી;
ફરી કરશે ચડી વહાણે બેટો
લક્ષ્મી પાય પડેલી.

તે વેળા નહિ લોક ગામના
ગણશે ગરીબ ઘરની;
ભર્યાં ગામની મોટેરી શી
પંકાશે મુજ જનની.

ભાગોળે બંધાવીશ મોટી
ધર્મશાળ તુજ નામે,
દેશદેશના પંથી વહેશે
તવ યશ ગામોગામે.