લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે !
દહીં ખાય, દૂધ ખાય,
ઘી તો ચપ ચપ ચાટી જાય;
તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,
એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.