zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/નળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નળ

લેખક : મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
(1914-1972)

મને ગમે બહુ નળ !
એની અદ્ભુત કળ,
આમ ફેરવો ટીપું ન પાણી,
તેમ ફેરવો ત્યાં જળ જળ !
મને ગમે છે નળ.

હાથ રાખું ત્યાં ઊડે ફુવારા
જાણે કૂદતા ફૂટતા તારા
હાથ ખસેડી લઉં ત્યાં વહેતું,
પાણી ખળ ખળ ખળ
મને ગમે છે નળ.

આ નળમાંથી નીકળે ધારા
એ સહ રમવું બની દુલારા
કદી ન અટકું કદી ન થંભું
વહી રહું પળ પળ
મને ગમે છે નળ.