બાળ કાવ્ય સંપદા/નાચે છે મોર
Jump to navigation
Jump to search
નાચે છે મોર
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
મારી વાડીમાં નાચે છે મોર,
કે મોરલો નવરંગી.
જાણે રંગોથી ઝાકળઝોળ,
કે મોરલો નવરંગી.
એના નર્તનમાં છલકાતો તોર,
કે મોરલો નવરંગી.
જુઓ વાદળ ને કરતો કલશોર,
કે મોરલો નવરંગી.
એનાં પીછાં કે રેશમની કોર,
કે મોરલો નવરંગી.
બધાં પંખીમાં લાગે શિરમોર,
કે મોરલો નવરંગી.
સોહે કલગીથી રઢિયાળો મોર,
કે મોરલો નવરંગી.