ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/બલાક વ્યાધની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બલાક વ્યાધની કથા

જૂના જમાનામાં બલાક નામે એક વ્યાધ રહેતો હતો. તે પોતાની પત્નીનું અને પુત્રોનું ભરણપોષણ કરવા માટે હંસિક પશુઓનો શિકાર કરતો હતો, શિકાર કંઈ તેનો શોખ ન હતો. તે પોતાના વૃદ્ધ માતાપિતાનું અને બીજા આશ્રિતોનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તે ધર્મનિષ્ઠ હતો, સાચું બોલતો અને કોઈ કરતાં કોઈની કૂથલી કરતો ન હતો.

એક દિવસ તે શિકાર કરવા વનમાં ગયો પણ કોઈ હંસિક પશુ નજરે ન પડ્યું. એટલામાં જ પાણી પીતા કોઈ હંસિક પ્રાણીને તેણે જોયું. તે પ્રાણી આંધળું હતું. તે નાક વડે સૂંઘીને જ પોતાનો વ્યવહાર ચલાવતું હતું. આવા પ્રાણીને વ્યાધે ક્યારેય જોયું ન હતું. તેણે તે જ વખતે તેનો વધ કરી નાખ્યો. તે પ્રાણી મૃત્યુ પામ્યું એટલે આકાશમાંથી તે વ્યાધ પર પુષ્પવર્ષા થઈ. અને તેવામાં જ વ્યાધને લઈ જવા માટે સ્વર્ગમાંથી એક વિમાન આવ્યું. તે વિમાન અપ્સરાઓના ગીતસંગીતથી અદ્ભુત લાગતું હતું. કહેવાય છે કે પેલા પ્રાણીએ પૂર્વજન્મમાં તપ કરીને ઘણાં પ્રાણીઓને મારી નાખ્યા હતા એટલે બ્રહ્માએ તેને અંધત્વનો શાપ આપ્યો હતો. આમ બધાં પ્રાણીઓનો વધ કરનારા પ્રાણીનો વધ કરીને બલાક સ્વર્ગે ગયો.


(ગીતાપ્રેસ, કર્ણ પર્વ, ૬૯)