ભારતીય કથાવિશ્વ૧/પ્રજાપતિ અને ઇન્દ્રની કથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રજાપતિ અને ઇન્દ્રની કથા

ઇન્દ્રે વૃત્રને મારીને પ્રજાપતિને કહ્યું, ‘જે તમે છો તે હું થઉં, હું મહા થઈ જઉં.’ ત્યારે પ્રજાપતિએ પૂછેલું, ‘હું કોણ છું?’ત્યારે ઇન્દ્રે કહ્યું, ‘તમે જે બોલ્યા તે જ તમે થાઓ.’ ત્યારથી પ્રજાપતિનું નામ ક:, ઇન્દ્ર તેનાથી મહાન થયા એટલે એનું નામ મહેન્દ્ર. (ઐતરેય બ્રાહ્મણ ૧૨.૯-૧૦)