ભૂપેન્દ્ર ઉપાધ્યાય

ઉપાધ્યાય ભૂપેન્દ્ર: રમૂજપ્રધાન હળવી શૈલીના લેખસંગ્રહો ‘ત્રિકોણનો ચોથો ખૂણો' (મદનકુમાર મજમુદાર સાથે, ૧૯૭૩), ‘ત્રિકોણનો પાંચમો ખૂણો’ (મદનકુમાર મજમુદાર અને ઉપાબહેન મજમુદાર સાથે, ૧૯૮૩), મૂળે પૅરી બરાજેસની કૃતિને અનુવાદ ‘સાથી સંગી વિનાના' (૧૯૫૬) તેમ જ અનૂદિત ચરિત્રોનો સંગ્રહ ‘અર્વાચીન ભારતના શિલ્પીઓ' (૧૯૭૧)ના કર્તા.