ભોળાભાઈ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પટેલ ભોળાભાઈ શંકરભાઈ (૭-૮-૧૯૩૪) : નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ વતન સેજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજી ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં ‘અયઃ એક અધ્યયન' વિષય પર પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ પાર્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯ થી હિંદીના વ્યાખ્યાતા અને ૧૯૮૦ થી રીડર. અત્યારે ત્યાં જ હિદી વિભાગના અધ્યક્ષ. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો. ‘પરબ'ના તંત્રી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. પ્રવાસનિબંધેન લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત સંવેદના ની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા' (૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં, પણ સદભ્રમણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તો નિમિત્ત બન્યાં છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મોટા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા' અને ‘માં ઉત્તમ કૃતિઓ છે. સંગ્રહની અંતિમ રચના ‘તેષાં દિ’ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા તંતુ સમાન છે. પૂર્વોત્તર' (૧૯૮૧)માં ઈશાન ભારતનું પ્રવાસ આલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને, રમણીયતાને તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. ‘રાધે તાર, ડુંગરિયા પર’ (૧૯૮૭) અને ‘દેવોની ઘાટી' (૧૯૮૯) એમને અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે. અંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અસમિયા વગેરે ભાષાસાહિત્યને એમને. અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક બનાવે છે; તો એમની રસજ્ઞતા અને સહૃદયતા તેને શુષ્ક થતું અટકાવીને આસ્વાદ્ય બનાવે છે. એમના પ્રથમ પુસ્તક ‘સુરદાસની કવિતા' (૧૯૭૨) પછી અધુના' (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા' (૧૯૭૩), ‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘કાલપુરુષ' (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા' (૧૯૮૭) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘અધુના'ના. પંદર લેખો પૈકી મોટા ભાગના લેખો સાહિત્યકૃતિ, કર્તા કે સાહિત્ય સ્વરૂપવિષયક છે; પૂર્વાપર'ના ચોવીસ લેખોમાંના કેટલાકે પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે, કેટલાક ઓડિયા બંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિનો પરિચય કરાવે છે, તો કેટલાક ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ વિષેનો અભ્યાસ નિરૂપે છે. સંગ્રહની પ્રથમ લેખ ‘ગીત એ અસ્તિત્વમાં જર્મન કવિ રાઈનેર મારિયા રિલ્કની મહત્ત્વપૂર્ણ કૃતિ (ઑફિસ પ્રતિ-રૉનેટ)ના એકાદ-બે મહત્તવના પહેલાઓને વાણી લેવાનો લેખકને પ્રયત્ન છે. ભારતીય ટૂંકીવાર્તા’ એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષાઓમાં લખા યેલી ટૂંકીવાર્તાઓનો અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે. એમણે કરેલાં સંપાદનોમાં મુખ્યત્વે અસમિયા-ગુજરાતી કવિતા (૧૯૮૧) તથા ‘ગુજરાતી સાહિત્યનો આઠમે દાયકો' (૧૯૮૨) ઉલ્લેખનીય છે. એમણે વિનાયક આઠવલેકૃત ‘વિષ્ણુ દિગમ્બર' (૧૯૬૭), ગોપાલસિગકૃત ‘ગુરુનાનક' (૧૯૬૯), મહેશ્વર નેઓગકૃત ‘શંકરદેવ' (૧૯૭૦), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાસેન (૧૯૭૬), સુનીલ ગંગોપાધ્યાયકૃત નવલકથા સ્વર્ગની નીચે મનુષ્ય'(૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી’ (૧૯૮૨), સુકુમાર સેન લિખિત બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (૧૯૮૨) વગેરે અનુવાદો આપ્યા છે. આ ઉપરાંત એમણે રધુવીર ચૌધરીના સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહો ‘પ્રાચીના' (૧૯૬૮) અને ‘નિશીથ’ (૧૯૬૮) ના હિન્દી અનુવાદ કર્યા છે; તો હિંદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ચિદમ્બર (૧૯૬૯) નો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણે રવીન્દ્રનાથ ઠાકુરત ‘ગીત પંચશતી' (૧૯૭૮) ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.