મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૬)


પદ (૧૬)

નરસિંહ મહેતા

વાંસલડીએ વીંધાણી વનિતા, વૃંદાવનમાં ચાલી રે,
શામળિયાને મળવા કારણ, જેમતેમ ભૂષણ ઘાલી રે.
વાંસલડીએ૦
મધ્ય રયણી મનમાં નવા આણી, જુવતી જોબનમાતી રે;
ચિત્ત લાગ્યું ચતુર્ભુજ-ચરણે, જીવણ જોવા જાતી રે.
વાંસલડીઅ૦ે
પ્રેમદા પ્રથમ પ્રણામ કરીને લાગી હરિને પાય રે;
નરસૈંયાસા સ્વામીને દીઠડે હૈયે હરખ નવ માય રે.
વાંસલડીએ૦