મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૬. આંબાજી/આંબો છઠ્ઠો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬. આંબાજી/આંબો છઠ્ઠો

ઝાલા રાજવી આંબાજી, કબીરપંથમાં દીક્ષા પછી ષટ્પ્રજ્ઞદાસ. એથી પદોમાં નામછાપ‘આંબો છઠ્ઠો’. અધ્યાત્મભાવનાં પદોના રચનાર. ૧ પદ સતનાં જળ સીંચજો એવાં સતનાં જળ સીંચજો રે માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે. પ્રેમનાં પાંદડાં ને દયાની ડાળ્યું રે          – એવાં૦ પૂન્યનાં મૂળ પિયાળ છે રે ધરમ વિના તમે ઢળી પડશો ને વેળાએ કરોને નિવાડ રે.          – એવાં૦ સુકરિત ફૂલ છે ગુલાબનાં રે તરત લાગ્યાં દો ને ચાર રે ફાલ્યો ફૂલ્યો એક વરખડો ને વેડનવાલા હુશિયાર.           – એવાં૦ એ ફળ ચાખે એ તો ચળે નહીં ને અખંડ રે’વે એનો આ’ર રે પરતીત તો જેની પરલે હોશે થહ હોશે એના થાય રે.          – એવાં૦ જાણજો તમે કાંક માણજો મનખો નો આવે વારંવાર રે આંબો છઠો એમ બોલિયાં ને રે સપના જેવો છે સંસાર રે.          – એવાં૦