મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૪.નયવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪.નયવિજય

નયવિજય (ઈ.સ. ૧૭મી સદી ઉત્તરાર્ધ) તપાગચ્છમાં વિજયપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયજીના શિષ્ય નયવિજયજીની વિવિધ છંદોમાં લખાયેલી ‘નેમિનાથ બારમાસા’ કૃતિ તેના વિરહશૃંગારની અભિવ્યક્તિ માટે નોંધપાત્ર છે.

૧ સ્તવન
શ્રી અનંતનાથ જિન સ્તવન
સહજ સનેહી સેવિયે રે લો, સાહિબ! અનંત જિણંદ રે-સુગુણ નર!
સેવ્યા સંપદ પામીયે રે લો, દરિશણ પરમાનંદ રે-સુગુણ.          સહજ. (૧)

સકળ ગુણે કરી શોભતા રે લો, જગજીવન જિનચંદ રે-સુગુણ.
સેવ્યા વંછિત સવિ દીયે રે લો, સાચો સુરતરુ કંદ રે-સુગુણ,          સહજ. (૨)

એ જગમાંહિ જોયતાં રે લો, એ સમ નહિ દાતાર રે-સુ.
ખિણ એક સેવ્યો સાહિબો રે લો, આપે સુખ અપાર રે-સુગુણ.          સહજ. (૩)

સકળ સુરાસુર જેહને રે લો, સેવે બે કર જોડ રે-સુગુણ.
ભગતિભાવ આણી ઘણો રે લો, પ્રણમે હોડાહોડ રે-સુગુણ.          સહજ. (૪)

છ જીવકાચ રક્ષા કરે રે લો, દહવે નહીં તિલમાત રે-સુગુણ.
ક્રોધદિકથિ વેગળો રે લો, અરિહંત તેહ વિખ્યાત રે-સુગુણ.          સહજ. (૫)

રિદ્ધિ અનંતી પ્રભુતણી રે લો, કહેતાં ન આવે પાર રે-સુ.
તોહિ પણ અ-પરિગ્રહી રે લો, કહિયે એ કિરતાર રે-સુગુણ.          સહજ. (૬)

નયવિજય પ્રભુ પ્રણમતા રે લો, નિતુનિતુ જય જયકાર રે-સુગુણ.          સહજ. (૭)