મનુભાઈ પંચોળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મનુભાઈ રાજારામ પંચોળી, ‘દર્શક’ (૧૫-૧૦-૧૯૧૪) : નવલ કથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-૯ગુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્રયલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજયની જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબાધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ઝેર તો પીધાં ને ભારતીય જ્ઞાનપીઠને મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિક ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી, અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલક્થાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને રચાયેલી. પ્રથમ નવલકથા ‘બંદીઘર' (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ના રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સંપર્શ છે. જલના નિષ્ઠર અમલદારોને દમનને તેડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે. ૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્ચાદ્ભૂમાં સર્જાયેલી નવલકથા. ‘બંધન અને મુકિત' (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીને સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુકિતની વાત સ્થળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા ‘દીપનિર્વાણ' (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણ રાજ્યો- ખાસ કરીને બ્રાહ્મણ, માલવ અને કઠના ઐતિહાસિક સંદર્ભોની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે છે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશકિત. સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું ઉદિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે. એમની બહુખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રોના આંતરવિશ્વનું ઉદ્ઘાટન, તેમનો ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભે થાય છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂકભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તો પુરુષાર્થનો જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, આશ્રમજીવન – એ બધાંને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાને સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તો પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનના વિષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં સત્ય કામને રેથન્યુ અને ક્રિશ્નાઇન દ્રારા સહિત, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ ફલક પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરેણ સમાપયેત્’ની સ્વીકારી છે. શીંગાડાનાં કોતરોમાં આરંભાતી કથાનો અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની સ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે. અલબત્તો, અહીં ચિંતન ગોવર્ધનરામની હદે જતું નથી. કયારેક તો ટૂંકા, માર્મિક અને સચોટ ઉદ્ગારો દ્વારા વ્યક્ત થતું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની જેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યક્ત થતું ચિતને પાત્રના હૃદયસંવેદનને સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે. હા! ‘સોક્રેટીસ' (૧૯૭૪) મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નેવલ કથા છે. ભારતમાંની વર્તમાન લેકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતો ફરતો કરવા પ્રેર્યા છે. ગ્રીક પ્રજાની બહિર્મુખી જીવનદૃષ્ટિ, પાર્થિવ સૌંદર્યની ઉપાસના અને તે સાથે આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોત્તર પકવ બનેલી સર્ગશકિતને વિશિષ્ટ પરિચય મળે છે. કૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનોહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાર્થાત ગરિમા જાળવી રાખનારી છે. ‘દર્શક’ માને છે કે હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જ્વળ અને ઉદારો કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદૃષ્ટ બલિષ્ઠ રણકી ઊઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે. એમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણન તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણન પ્રતીતિકર અને મનોહર હોય છે. પ્રકૃતિદૃશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનાના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યને અનુભવ કરાવે છે. એમનું ભાષાસામ અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્ત્વનાં પરિબળ છે. ‘જલિયાંવાલા' (૧૯૩૪) એમની પ્રથમ નાટ્યકૃતિ છે. ૧૯૧૯ના એપ્રિલની ૧૩મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી ક્રૂર કલેઆમની ઐતિ હાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દૃશ્યોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસે સત્તાવન’ (૧૯૩૫)માં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક ‘પરિત્રાણ’ (૧૯૬૭)માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. સોદો' અને ‘હલન' જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આતંકનો. ભોગ બનેલી અને તેનો પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતને નાટ્યસંગ્રહ ‘અંતિમ અધ્યાય (૧૯૮૩) હિટલર જેવા અમાનુષી સરમુખત્યાર કરુણ અને નાટકીય અંજામ ૨જૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દૃષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથા ઓની જેમ એમનાં નાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકોનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગે આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતે સૂચિત છે. આ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓનો અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોની ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અને અંતરને સ્પર્શી જાય છે. વાગીશ્વરીનાં કર્ણફૂલ' (૧૯૬૩) અને ‘મંદારમાલા(૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યક્ત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલાં પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે. ‘ગ્રીસ’: ભા. ૧, ૨ (૧૯૪૬) ‘શમ’ (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ' (૧૯૫૬) અને ‘માનવ કુળકથાઓ' (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત અને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના સંચયો છે. આપણો વારસો અને વૈભવ' (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજકીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. ‘ઇતિહાસ અને કેળવણી' (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. ‘બે વિચારધારા' (૧૯૪૫), લોકશાહી' (૧૯૭૩) અને સોક્રેટીસ - લોકશાહીના સંદર્ભમાં' (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજ નીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને નવવિધાન’ (૧૯૫૭) તથા ‘સર્વોદય અને શિક્ષણ’,(૧૯૬૩) એમનાં શિક્ષણ વિષયક પુસ્તકો છે. ‘સોક્રેટીસ' (૧૯૫૩), ત્રિવેણીતીર્થ’ (૧૯૫૫), ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ' (૧૯૫૬), ‘નાનાભાઈ' (મૂ. મો. ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘ટોસ્ટોય' (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. ધર્મચક્રપ્રવર્તન' (૧૯૫૬), ‘શાંતિના પાયા' (૧૯૬૩), ‘અમૃત વલ્લરી' (૧૯૭૩), ‘મહાભારતને મર્મ' (૧૯૭૮), ‘રામાયણના મર્મ' (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે. ‘મારી વાચનકથા' (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ચેતવિસ્તારની યાત્રા' (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્ર છે. ‘સભિ : સંગ : (૧૯૮૯)માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સણોસરાની ઘડતરકથા છે.