મારી હકીકત/૧૨ પ્રાણલાલને

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૨ પ્રાણલાલને

તા. ૧0 સપ્ટેમ્બર ૧૮૬૮

પરમ સ્નેહી ભાઈ પ્રાણલાલ,

ડાહીગૌરી ના કહે છે ને જે સબબો તે બતાવે છે તેની ઉપર મારે જવું એ મને વાજબી જણાતું નથી.

મારા પોતાનો એ વિષે શું વિચાર છે તે જો તમારી ઈચ્છા હશે તો જણાવીશ.

તમારો નર્મદાશંકર.