યાત્રા/कस्मै

From Ekatra Wiki
Jump to navigation Jump to search
कस्मै....

कस्मै देवाय हविषा विधेम?
કોને નમું? કોણ પદે ઢળું જઈ;
કે સ્તોત્ર કોનાં રહું ગુંજી ગાઈ?

ન તે પ્રભુને, નહિ વા પ્રભુની
અનેક રમ્ય પ્રતિમા પ્રણમ્યને!

હું તેમને આજ સ્મરી નમી લઉં,
જેણે કર્યું જીવન જીવવા સમું;
ક્ષણેક વા અર્ધક્ષણેક જેણે
ઝગી જઈ અંતર વ્યોમ મારે
રંગોળીઓ પૂરી પ્રસન્ન તેજની,
ને હું સમા—
આ જિન્દગીના અવિજેય શત્રુને
કર્યો સદાનો મજનૂન મત્ત.

હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે,
આવે ભલે તે લયલા બનીને!

નવેમ્બર, ૧૯૩૮