યુગવંદના/કાળનું વંદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાળનું વંદન

કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી!
કોણે કહ્યું મૃત્યુ સડાવનારું!
कालोऽस्मि लोकक्षयकृत કહન્દો,
અહીં ખડો અંજલિ જોડી બંદો
સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ-ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે’જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.
૧૯૩૮