રચનાવલી/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



રચનાવલી
(ગુજરાતી, ભારતીય અને વિશ્વસાહિત્યની રચનાઓનો પરિચય કોશ)




ચન્દ્રકાન્ત ટોપીવાળા




પાર્શ્વ પબ્લિકેશન  અમદાવાદ


RACHANAWALI by CHANDRAKANT TOPIWALA


ISBN  978-93-5108-513-3



© ચન્દ્રકાન્ત ટોપીવાળા
પ્રથમ આવૃત્તિ  ૨૦૧૨  પ્રત: ૫૦૦ બીજી આવૃત્તિ  ૨૦૧૬  પ્રત: ૫૦૦
મૂલ્ય  ૬૭૫-૦૦
પ્રકાશક: બાબુભાઈ એચ. શાહ પાર્શ્વ પબ્લિકેશન ૧૦૨, નંદન કોમ્પ્લેક્ષ, મીઠાખળી ગામની રેલવે ફાટક સામે, મીઠાખળી, અમદાવાદ-૩૮૦ ૦૦૬

ટાઈપસેટિંગ જે. પી. ગ્રાફિક્સ રામદ્વારા, પખાલીની પોળ, રાયપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

મુદ્રક શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪


અર્પણ
દિનેશ દલાલને
છો રસાયણવિદ્, તોયે રસાસ્વાદ ચૂકો નહીં!



પાર્શ્વ દ્વારા પ્રકાશિત ચન્દ્રકાન્ત ટોપીવાળાનાં વિવેચનનાં પુસ્તકો


રમણીય સંક્રમણ ૨૮૫-૦૦
પ્રતિભાષાનું કવચ ૧૬૦-૦૦
સાક્ષીભાષ્ય ૧૭૫-૦૦
મારો આતમરામ ૧૫૦-૦૦
અપરિચિત अ અપરિચિત ब ૧૫૦-૦૦
લઘુ સિદ્ધાન્તવહી ૨૦૦-૦૦
સહવર્તી/પરિવર્તી ૧૮૦-૦૦
બહુસંવાદ ૧૬૦-૦૦
સુરેશ જોશી ૬૦-૦૦
૧૦ મધ્યમાલા ૧૫૦-૦૦
૧૧ દલપતરામના શ્રેષ્ઠ કાવ્યો ૧૦૦-૦૦
૧૨ ધ રેવનકાવ્ય રચના ૨૫-૦૦
૧૩ સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (અપ્રાપ્ય)
૧૪ વિવેચનનો વિભાજિત પટ (અપ્રાપ્ય)
૧૫ ગ્રંથઘટન (અપ્રાપ્ય)
૧૬ અનેકાયન ૮૦-૦૦
૧૭ અનુઆધુનિકતાવાદ ૬૦-૦૦
૧૮ રચનાવલી ૬૭૫-૦૦
૧૯ ‘પત્રવાસરિકા અને થોડુંક લલિત' ૧૮૦-૦૦
૨૦ આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર (સંપાદન) ૫૦૦-૦૦

કૃતિ-પરિચય

વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનું ‘રચનાવલી’ ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યના સર્જકોની ઉત્તમ રચનાઓનો આસ્વાદાત્મક પરિચય કરાવતું સંપાદન છે. જેમાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ૧૮, અર્વાચીન આધુનિક ગુજરાતી સાહિત્યની ૫૧, ભારતીય સાહિત્યમાં અસમિયા ભાષાની ૪, અંગ્રેજીની ૫, ઉર્દૂની ૫, કન્નડની ૬, તમિળની ૪, તેલુગુની ૩, પંજાબી ૨, બંગાળી ૪, મણિપુરી ૧, મરાઠી ૮, મલયાલમ ૮, સંસ્કૃત ૨૮, સિન્ધિ ૨, હિન્દી ૮, વિશ્વ સાહિત્યમાં અમેરિકન ૯, અરબી ૧, અલ્જેરિયન ૧, અંગ્રેજી ૧૪, આફ્રિકી ૫, ઇજીપ્શિયન ૧, ઇટાલિયન ૫, ઉઝ્બેકિસ્તાન ૧, ગ્રીક ૩, જાપાની ૧, જર્મન ૩, ઝેક ૨, પોર્ટુગીઝ ૧, ફારસી ૧, ફ્રેન્ચ ૬, રશિયન ૬, લેટિન ૧, સ્પેનિશ ૩, હિબ્રૂ ૨ એમ લગભગ ૨૨૦ જેટલી કૃતિઓ વિષેની માહિતી ભાવકને આ સંપાદનમાંથી મળશે. અહીં વલ્લભ મેવાડો છે તો સાથે કલાપી પણ છે. અહીં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ છે તો ‘ધમ્મપદ’ પણ છે. અહીં ‘શિવમહિમ્નસ્તોત્ર’ છે તો ‘ભક્તામરસ્તોત્ર’ પણ છે. અહીં ‘હનુમાનચાલીસા’છે ને ‘ગીતગોવિંદ’ પણ છે. આ સંપાદનનો અભ્યાસ અનેક વિષયોમાં અભ્યાસ કરવાના દરવાજા ખોલી આપે છે. નિદર્શન પૂરતું કહેવાય કે ભારતીય સાહિત્ય અને પરદેશી ભાષાની રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો અહીંથી સામગ્રી મળી શકશે એ જ રીતે ધાર્મિક સંદર્ભની રચનાઓ વિશેના અભ્યાસ માટે પણ અહીં ઘણી સામગ્રી સંગ્રહાયેલી છે. વાચકના વિચારક્ષેત્રને વિસ્તૃત કરતું અને અનુભવજગતને સમૃદ્ધ કરતું આ સંપાદન મનનીય છે.

—કીર્તિદા શાહ
 

સર્જક-પરિચય
Writer Chandrakant Topiwala.jpg


ચન્દ્રકાન્ત ટોપીવાળા

ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્‌ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા.

તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.

અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.

—રમણલાલ જોશી
(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)