રતિભાઈ ડાહ્યાભાઈ અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમીન રતિભાઈ ડાહ્યાભાઈ (૧-૧-૧૯૦૨): પ્રવાસલેખક, જન્મ મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં. ૧૯૨૧માં મેટ્રિક. વસાઈ, કડી, અમદાવાદમાં શિક્ષક અને ગૃહપતિ તરીકેની કામગીરી. એમનાં પુસ્તકો બાળકો માટેની બોધકથાઓનો સંગ્રહ ‘રસબોધ' (૧૯૬૮) તથા લઘુપ્રવાસકથા ‘જીવનયાત્રા' (૧૯૬૯) છે.