રતિલાલ ‘અનિલ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ, ‘અનિલ’, ‘સાંદીપનિ’, ‘ટચાક', ‘કલ્કિ (૧૯૧૯) : ગઝલકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધોરણ સુધીનો અભ્યાસ. ૮થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી પાવરલૂમ્સ વણકર. ૧૯૫૫થી ૧૯૬૦ સુધી ‘પ્યારા બાપુ' માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશને અધિકારી. ૧૯૬૨-૬૩માં ‘લોક વાણી' દૈનિક, સુરતમાં ઉપતંત્રી. ૧૯૬૪થી ૧૯૭૭ સુધી ‘ગુજરાત મિત્ર' દૈનિક, સુરતમાં સહતંત્રી. ૧૯૬૫થી ૧૯૮૨ સુધી ‘ગુજરાત સમાચાર', સુરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં ‘ગુજરાત કેસરી’, સુરતમાં સહતંત્રી. કંકાવટી’નું સંપાદન. ગઝલનો મિજાજ પ્રગટાવતી કેટલીક રચનાઓ એમના ‘ડમરો અને તુલસી' (૧૯૫૫) ગઝલસંગ્રહમાં મળી છે. ‘મસ્તીની પળોમાં (૧૯૫૬) મુખ્યત્વે રૂબાઈસંગ્રહ છે. એમાં વિચાર અને અભિ વ્યક્તિની ચારુતા છે. ‘આવા હતા બાપુ’ ભા. ૧-૨-૩ (૧૯૫૭) અને ‘ઇન્દિરા ગાંધી' (૧૯૬૮) એમનાં જીવનચરિત્રો છે.