રવીન્દ્રપર્વ/૧૨૧. કેન રે એતઇ યાબાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૧. કેન રે એતઇ યાબાર

જવાની આટલી બધી ઉતાવળ શા માટે? વસન્ત, ગીતોની તારી ભારવાહી નૌકા શું ભરાઈ ગઈ? આટલામાં જ માધવી બધી જ પૂરી થઈ ગઈ? વનછાયા આખરી ભૈરવી ગાય છે — દાંડી પરથી ખરી પડેલી શિથિલ કરેણે શું વિદાય લઈ લીધી? તપ્ત દિવસોના સૂકા ઘાસનું આસન બિછાવીને અત્યારે જ તારું પીળું ઉત્તરીય ફેંકી દેશે? વિદાયના માર્ગ પર હતાશ બકુલ કપોતના કૂજનથી વિહ્વળ છે. ચરણની પૂજા માટે વસુન્ધરા ફૂલ ખેરવી રહી છે. (ગીત-પંચશતી)