રવીન્દ્રપર્વ/૭૯. ઓગો ડેકો ના મોરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૯. ઓગો ડેકો ના મોરે

મને સાદ દેશો નહીં, સાદ દેશો નહીં. મારું કામકાજ ભૂલી જતું મારું મન કોણ જાણે ક્યાંય દૂર જતું રહે છે અને સ્વપ્નની સાધના કર્યા કરે છે. એ હાથમાં ન ઝલાય એવી છાયા કાંઈ પકડાવાની નથી, મારા મનમાં એ મોહિની માયા રચી ગઈ છે. જાણું નહીં જે આ કયા દેવતાની દયા, જાણું નહીં જે આ કોનો પ્રપંચ! અંધારા આંગણામાં પ્રદીપ પ્રગટાવ્યો નથી. હું તો બળી ચૂકેલા વનની માલણ, હું ખાલી હાથે અકંચિન બનીને રાતદિવસ વીતાવું છું. જો એ આવશે તો એનાં ચરણની છાયામાં મારી વેદના બિછાવી દઈશ, એને હું મારાં આંસુભીના રિક્ત જીવનની કામના જણાવીશ. (ગીત-પંચશતી)