શાંતિભાઈ નરસિંહભાઈ અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમીન શાંતિભાઈ નરસિંહભાઈ (૨૮-૫-૧૯૧૩): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વસોમાં. વ્યવસાયે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ. અનેક હૉસ્પિટલોમાં મેડિકલ ઑફિસર. વિજ્ઞાનવિષયક રંજનકથા પ્રકારની સાધારણ કોટિની પરંપરાગત રોમાંચક ચાર રહસ્યકથાઓ ‘કરામત-એ-કેપ્ટન' (૧૯૫૬), ‘કાબેલ કિમિયાગર' (૧૯૫૬), ‘ગેબીમૂન' (૧૯૫૬) અને ‘િપશાચનો પડઘો' (૧૯૫૬), ઉપરાંત ‘થિયોસોફિકલ લેટર્સ' (૧૯૭૫) એમની કૃતિઓ છે.