સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/‘રંગ છે, મેઘાણી!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બીજાઓ પાસેથી સાંભળેલી બાર લોકવાર્તાઓનું કંઠસ્થ સ્વરૂપ અણીશુદ્ધ જાળવીને ‘રંગ છે, બારોટ!’માં એવા સંપાદન-કૌશલથી મેઘાણીએ રજૂ કરી છે કે ‘રંગ છે, મેઘાણી!’ એમ સહસા બોલી ઊઠવાનું આપણને મન થાય. જેનો વાર્તારસિયો બાલભાવ જમાનાએ કે ઉંમરે શોધી લીધો નહિ હોય એવા સૌને આ કથાઓ પોતાના વાર્તારસથી આકર્ષશે. પણ વિશેષ આકર્ષણ તો એનું થવું જોઈએ આજના વાર્તાલેખકોને. એ લોકકથાઓની રસજમાવટની કરામતો તેમજ અદ્ભુત લાઘવ અને છટાવાળી મર્માળ ભાષાનો અભ્યાસ તેમને કેટલુંક શીખવી જશે. [‘પિસ્તાળીસનું ગ્રંથસ્થ વાંગ્મય’ પુસ્તક]