સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમર ખય્યામ/રુબાઇયાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જુવોને આ જગત સઘળું ભાંગલી છે સરાઈ,
તેનાં દ્વારો દિવસ-રજની ઊઘડી બંધ થાયે;
ચાલ્યા જતા નરપતિ બધા છોડી સૌ વૈભવોને;
ઓછું, વત્તું, રહી અહીં બધા પ્હોંચી જાતા સ્વધામે.
(અનુ. શશિકાન્ત નીલકંઠ)