સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કલાકારનું જીવનકાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          શિવ પંડયાને હાથે એક મુખ્ય કામ થઈ આવ્યું, તે ગુજરાતી સાહિત્યકારોનાં વ્યંગચિત્રોનું. દલપત-નર્મદથી માંડીને નિરંજન સુધીનાં પચાસેક ચિત્રો છે. મેઘાણીની આકૃતિમાં સર્જકતાનો વિરલ ઉન્મેશ છે. આખું વ્યક્તિત્વ, કહો કે સૌરાષ્ટ્રની ધરતી, જાણે નાચી રહે છે : એક હાથમાં ઊંચે એકતારો છે — એટલી બધી લયબદ્ધ ગતિશીલતા છે કે આ માણસને ધરતી પર માત્ર પચાસ વરસ નહીં, પણ યુગના યુગ મળ્યા ન હોય! આ વ્યંગચિત્રમાલા શિવ પંડયાનું જીવનકાર્ય થવા સર્જાઈ છે. [‘હૃદયમાં પડેલી છબીઓ’ : ભાગ ૧ પુસ્તક]