સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જંપ્યા વિના

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          માનવે તો પુરુષાર્થમાં સતત મચ્યા રહેવાનું છે. કસો કમર, ચલાવો મજલ. મુકામની દિશામાં બે ડગ તો ભરો. જે પ્રયત્નશીલ છે, તે અથડાતો-પછડાતો પણ છેવટે પોતાના અસલ મુકામે પહોંચે છે. વચ્ચે કેવી ભૂલો થઈ, પતનો થયાં, એ મોટો સવાલ નથી; માણસ પાછો ઊભો થઈ જાય અને ફરી મજલ કાપવા માંડે, એનું મહત્ત્વ છે. સતત પ્રયત્ન કરતો રહે તો માણસ અંતે જીવનસાફલ્ય પામે જ છે. “ઉતાવળ વિના, પરંતુ ક્ષણ એક જંપ્યા વિના.”