સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/લીલી વાડીઓ નિર્માણ કરનારા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

          ઈશ્વર પેટલીકર જીવનથી તરવરતા હતા. સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાના પ્રશ્નો જાણે પોતાના ન હોય! એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના, જે સળગતા પ્રશ્નો હોય છે તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં, સારો એવો સમય આપ્યો. સમાજમાં આવી મંગલમૂર્તિઓ હોવી જોઈએ. એ જીવશે, એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે તે લોકોના જીવનની સુવાસ દ્વારા.